મોરબી : પોતાની જાતને કલકી અવતાર ગણાવતા રમેશ ફેફર નામના શખ્સે સોશ્યલ મીડિયામાં ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદા અને ભૂદેવો વિશે આપત્તિજનક નિવેદન આપતા સમગ્ર બ્રહ્મસમાજ લાલઘૂમ થયો છે અને આ વિવાદાસ્પદ નિવેદનના ભુદેવોમાં ઘેરા પ્રત્યાઘાત પડતા ભગવાન પરશુરામ અને ભૂદેવો વિશે આપત્તિજનક નિવેદન કરનાર રમેશ ફેફર સામે કડક કાર્યવાહી કરોની માંગ સાથે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપના લોકોએ જય પરશુરામના નાદ સાથે કલેક્ટર અને એસપીને આવેદન આપ્યું છે.મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપના લોકોએ એસપી અને કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર રમેશ કુકર રહે રાજકોટવાળાએ જાણી જોઈને સમાજમાં વૈમનસ્ય ઉભું કરવા હિન્દૂ ધર્મ અંગે તેમજ ખાસ કરીને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ તથા સમગ્ર બ્રહ્મસમાજ વિશે આપત્તિજન૰ નિવેદન કરવામાં આવ્યા હતાં. આ શખ્સ દ્વારા જાણી જોઈને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર વાઈરલ કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિ સારી રીતે ભણેલ ગણેલ છે તથા આવા નિવેદનો જાણી જોઈને વારવાર આપી લોકોને ભડકાવવાનો લોકો વચ્ચે વૈમનસ્ય ઉભ કરવા તેમજ લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી સામાજિક સમરસતાને ડહોળવાના પ્રયાસો સત્તત કરી રહ્યો છે. આ ઉપરાંત આ વખતે તેણે કરેલા નિવેદનમાં સમગ્ર બ્રાહ્મણ સમાજનો નાશ કરવાની ધમકી આપી ડર અને દહેશતની માહોલ પણ ઉભો કર્યો છે. આ નિવેદનમાં તેણે પ્રધાનમંત્રી અંગે પણ આપત્તિજનક ભાષા પ્રયોગ કરેલ છે. તેણે કરેલા નિવેદની પાછળ તેનો ઈરાદો શું છે? તથા ખાવા વ્યક્તિ પાછળ સમાજને તોડનાર કે રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનાર કોઈ ષડયંત્ર તો નથી ને ? તેની યોગ્ય ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થાય અને તેની વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે.