શિકારીઓના કૃત્યું સામે ગ્રામજનોમાં ભારે રોષ, કાયદાકીય કાર્યવાહી કરવા ફોરેસ્ટ વિભાગ અને પોલીસને રજુઆતમોરબી : માળીયા તાલુકાના વેણાસર ગામે એક શિકારી ટોળકીએ ભારે આંતક મચાવ્યો હતો. જેમાં શિકારી ટોળકીએ ગામની પાદરમાં બધુંકમાંથી ભકડા કરીને બે નીલ ગાયને ટાર્ગેટ કરતા એક નીલ ગાયનું મોત થયું હતું અને બીજી નીલ ગાય ઘાયલ થઈ જતા તેને સારવાર અર્થે ખસેડયા છે.માળીયા તાલુકાના વેણાસર ગામના સરપંચ અરજણભાઈ આહિરે ગ્રામ પંચાયતના લેટર પેડમાં ફોરેસ્ટ વિભાગ અને માળીયા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે ગામના પાદરમાં શિકારી ટોળકી ત્રાટકે છે. આ શિકારી ટોળકી ખાસ કરીને રોઝડા એટલે નીલ ગાયનો શિકાર કરવા બંદૂકથી ભડાકા કરીને રીતસર આંતક મચાવે છે. શિકારી ટોળકીના બફૂંકના ભડાકાથી ગામની પાદરમાં રહેતા ખેતમજૂરોમાં ગોળી લાગવાની ભયથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જો કે આ શિકારી ટોળકીએ બે પશુઓનું મારણ કરવાનો પ્રયાસ કરીને એક નીલ ગાયનું ગળું કાપી ક્રૂર રીતે શિકાર કર્યો હતો. જ્યારે બીજું નીલ ગાય ગંભીર રીતે ઘાયલ થયું છે. આ શિકારી ટોળકીના શિકાર માટે અવારનવાર બંદૂકથી ભડાકાથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આવા શિકારી તત્વોને કાયદાનું ભાન કરાવવા તાકીદે પકડીને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.